આજે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1,45,026 નોંધાઈ છે અને દૈનિક ચેપ દર 4.31 ટકા રહ્યો.

આજે બુધવારે દેશમાં 18,313 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે.જે મંગળવાર કરતાં વધુ છે.
મંગળવારે, 14,830 નવા કેસ નોંધાયા હતા.
દરમિયાન આજે 57 કોરોનાના દર્દીઓના મોત થયા છે.

આજે બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, 20,742 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

ગઈકાલ કરતાં આજે વધુ નવા કેસ જોવા મળ્યા હતા, પરંતુ સક્રિય કેસોમાં 2486નો ઘટાડો થયો છે.
આજે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1,45,026 નોંધાઈ છે.
તે જ સમયે, દૈનિક ચેપ દર 4.31 ટકા રહ્યો.

મંગળવાર કરતાં આજે બુધવારે વધુ મૃત્યુ પણ થયા હતા.
ગઈકાલે 36 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે આજે 57ના મોત થયા છે.
છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો છે.