તપ વડે મનશુદ્ધિ તથા કાયશુદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો બુધવારથી પ્રારંભ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે. સિહોર સહિત જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જેનો. અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી બોલી બોલાશે વીરપ્રભૂના પારણાની બોલી બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે. ત્યારબાદ સંવત્સરી પર્વ દેરાવાસી જેનો ઉજવશે. જીનાલયોને રોશની અને કમાન તોરણથી સુશોભિત બનાવાયા છે ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલયોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશે. શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષા પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે. 

તપ-જપ આરાધનાઓની હેલી દેરાસરો ઉપાશ્રયોમાં રોશનીનો શણગાર : પ્રભુજીને મનમોહક આંગી રચાશે