સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.