કાલોલ શહેરના પોરવાડ ફળિયામાં આવેલું એક વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત મકાન આસપાસના રહીશો અને રાહદારીઓ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યું હતું. ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે તેવા આ ઘર નંબર ૧૩૯૫ વાળા મકાનને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર સમસ્યા અંગે અખબારમાં વિસ્તારપૂર્વક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.મીડિયામાં અહેવાલ આવતાની સાથે જ તેની ધારદાર અસર જોવા મળી છે. સમાચાર વાંચીને મકાન માલિક તુરંત જાગૃત બન્યા હતા અને તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના, લોકહિતમાં જેસીબી મશીન લગાવી આ જર્જરિત મકાનને જાતે જ પાડી દેવાનો પ્રશંસનીય નિર્ણય લીધો હતો.મકાન માલિક દ્વારા ત્વરિત પગલાં ભરીને આ જોખમી બાંધકામ દૂર કરાતા પોરવાડ ફળિયાના રહીશોએ વર્ષોના ભયમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. સ્થાનિક નાગરિકોએ મકાન માલિકના આ હકારાત્મક નિર્ણયને બિરદાવ્યો હતો અને લોકપ્રશ્નને વાચા આપવા બદલ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.પોરવાડ ફળિયાની આ ઘટનામાંથી બોધપાઠ લઈને કાલોલ નગરમાં અન્ય જે પણ વિસ્તારોમાં આવા જર્જરિત અને જોખમી મકાનો આવેલા હોય, ત્યાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં વહીવટી તંત્ર સફાળું જાગે અને સમયસર કાર્યવાહી કરી આવા મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરાના માણેકવાડા ગામેથી પોલીસે 7 ઇસમોને જાહેરમાં જુગાર રમતા ૧૪,૪૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાે
બગસરાના માણેકવાડા ગામેથી પોલીસે 7 ઇસમોને જાહેરમાં જુગાર રમતા ૧૪,૪૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાે
કાલોલના રામનાથ ગામે આવેલ તળાવ નજીક રોડ ઉપર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૩૬૯ કી.રૂ.૩,૨૭,૦૬૫/- તથા અશોક લેલેન્ડ ડાલુ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૬,૨૭,૦૬૫/- મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધ કાઢતી એલસીબી પોલીસ
જીલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિ ને નેસ્તનાબૂદ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ આપેલ
સુચના અન્વયે...
બોટાદ દીપચંદી આશ્રમખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, નવદંપતીઓએ પ્રભુતામાં....
બોટાદ દીપચંદી આશ્રમખાતે સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, નવદંપતીઓએ પ્રભુતામાં....
આદિત્ય ગઢવી અને ફાલ્ગુની પાઠક ‘રંગારા’ માટે હાથ મિલાવ્યા: એક ગુજરાતી સાંસ્કૃતિક સિદ્ધિ
હાલો રે હાલો! ગુજરાતના રંગારા આવ્યા છે! “ખલાસી”ની સફળતા પર ભારે મદાર રાખતા...
દિવાળી ને લઈ ખેડા જિલ્લાના બઝારો મા સામન્ય ઘરાકી નીકળી
દિવાળી નો તહેવાર નજીક છે ત્યારે ખેડા જિલ્લા ના બઝારો મા સામાન્ય ઘરાકી જોવા મળી રહી છે .નડિયાદ...