કાલોલ શહેરના પોરવાડ ફળિયામાં આવેલું એક વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત મકાન આસપાસના રહીશો અને રાહદારીઓ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યું હતું. ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે તેવા આ ઘર નંબર ૧૩૯૫ વાળા મકાનને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર સમસ્યા અંગે અખબારમાં વિસ્તારપૂર્વક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.મીડિયામાં અહેવાલ આવતાની સાથે જ તેની ધારદાર અસર જોવા મળી છે. સમાચાર વાંચીને મકાન માલિક તુરંત જાગૃત બન્યા હતા અને તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના, લોકહિતમાં જેસીબી મશીન લગાવી આ જર્જરિત મકાનને જાતે જ પાડી દેવાનો પ્રશંસનીય નિર્ણય લીધો હતો.મકાન માલિક દ્વારા ત્વરિત પગલાં ભરીને આ જોખમી બાંધકામ દૂર કરાતા પોરવાડ ફળિયાના રહીશોએ વર્ષોના ભયમાંથી મુક્તિ મેળવી હાશકારો અનુભવ્યો છે. સ્થાનિક નાગરિકોએ મકાન માલિકના આ હકારાત્મક નિર્ણયને બિરદાવ્યો હતો અને લોકપ્રશ્નને વાચા આપવા બદલ મીડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.પોરવાડ ફળિયાની આ ઘટનામાંથી બોધપાઠ લઈને કાલોલ નગરમાં અન્ય જે પણ વિસ્તારોમાં આવા જર્જરિત અને જોખમી મકાનો આવેલા હોય, ત્યાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં વહીવટી તંત્ર સફાળું જાગે અને સમયસર કાર્યવાહી કરી આવા મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરે તેવી લોકમાગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পুনৰ গোলাঘাটলৈ গৌৰব কঢ়িয়াই আনিলে জোনাকী নগৰৰ
পুনৰ গোলাঘাটলৈ গৌৰব কঢ়িয়াই আনিলে জোনাকী নগৰৰ
રાધનપુર તાલુકાના ગોતરકા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
20 अगस्त से साबरमती-जोधपुर एक्सप्रेस ट्रेन सुपरफास्ट एक्सप्रेस के रूप में चलेगी
रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए ट्रेन संख्या 14820/14819...