વેજલપુર રૂપારેલ નદી ઉપર નો બ્રિજ /નાળુ છેલ્લા ૪ થી ૫ વર્ષ થી વધુ સમયથી ખોરંભે અધૂરા નાળા ના કામ થી ગામજનો પરેશાન કાલોલ તાલુકાના વેજલપુર ગામા ના મધ્યમાં આવેલ રૂપારેલ નદી આવેલ છે જે નદી ની બન્ને બાજુ ગામ વસેલું છે જેમાં નદીના બીજી બાજુ વલિમિકીવાસ રોહિતવાસ ભોંયવાડ પટેલવાડા જેવા અનેક વિસ્તાર આવેલા છે તેમ છતાં દેશ આઝાદ થયા પછી આજદિન સુધી વેજલપુર ગામમાં એકપણ ઉંચો બ્રિજ બન્યો નથી જેના કારણે ગામજનો માં ભારે નારાજગી જોવા મળી રહી છે વાત કરીએ તો વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ૪ થી ૫ વર્ષ થી વધુ સમય પહેલા રૂપારેલ નદી ઉપર નાની મસ્જીદ થી વલિમિકીવાસ પટેલવાડા તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર બ્રિજ નાળા નું કામ શરૂ કર્યું હતું પરંતુ આજદિન સુધી નાળા નું કામ પૂર્ણ નથતા ગામજનો માં ભારે નારાજગી જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી અધુરૂ નાળા નું કામ ગામજનો માટે માથાનાં દુખાવા સમાન બની ગયો છે જેના કારણે રાહદારીઓ ને અવરજવર માં ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહયા છે વેજલપુર ગામજનો માં માંગ ઉઠી છે કે આગળ ચોમાસા પેહલા સ્થાનિક તંત્ર નાળા નું કામ પૂર્ણ કરે તેવી ગામજનો માંગ ઉઠી છે ગામ જનોના જણાવ્યા પ્રમાણે દેશ આઝાદ થયા પછી વેજલપુર ગામની આજુબાજુ ના અનેક સાંસદ સભ્યો અને ધારાસભ્યો ચૂંટાયા પરંતુ આજદિન સુધી એક પણ સાંસદ સભ્ય કે ધારાસભ્ય એ ગામની મુલાકાત લીધી નથી તેમજ ઉંચા બ્રિજ બનાવવા માટે ગ્રાન્ટ પણ ફાળવી નથી વેજલપુર ગામજનો ને પડતી મુશ્કેલીઓ માટે કોઈ નેતા કે ઉચ્ચ અધિકારીઓ પાસે સમય નથી એવું લાગી રહયું છે ગામજનો દ્વારા અનેક વખત આવેદનપત્રો આપ્યા છતાં તંત્ર ના પેટ નું પાણી હાલતું રૂપારેલ નદી ના પટમાં આવેલ ઉર્દુ શાળા ના વિદ્યાર્થી એ નદી પાર કરતા થોડા વર્ષ પહેલાં રૂપારેલ નદી ઉપર બ્રિજ ન હોવાના કારણે વિદ્યાર્થી એ જીવ ગુમાવ્યો હતો તેમ છતાં તંત્ર મોંન સેવી ને બેઠું છે એક તરફ રાજ્ય સરકાર વિકાસ ની મોટી મોટી વાતો કરે છે ત્યારે વેજલપુર ગામ વિકાસ થી વંચિત છે તો બીજી તરફ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વેજલપુર ગામમાં મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહયું છે તેવા સળગતા સવાલો લોકોના મનમાં સેવાય રહયા છે