ફરિયાદી પોતાની આર્થીક ક્ષમતા, કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા કાલોલ કોર્ટે રૂ 1 લાખના ચેક રીટર્નના આરોપીને નિર્દોષ ઠેરવ્યો 

કાલોલના વિપુલભાઈ ચંદુભાઈ પટેલ દ્વારા પંકજભાઈ ગિરધરલાલ કુંઢીયા સામે મિત્રતા ના નાતે ઘંઘા માટે માર્ચ ૨૦૧૮ ના અરસામાં રૂ ૨ લાખ ઉછીના આપ્યા હોવાની તેમજ તેજ દિવસે આરોપીએ ફરિયાદીને પોતાના ખાતાના પાંચ ચેક આપ્યા હતા અને હું કહું તે દિવસે તમો તમારું નામ તારીખ લખી બેંકમાં ભરી દેજો તેમ જણાવ્યું હતું ફરિયાદીએ ઉઘરાણી કરતા જુન ૨૦૧૯ મા જણાવેલ કે તમો તા ૧૫/૦૭/૨૦૧૯ ના રોજ બધા ચેક ભરી દેજો જેથી રૂ ૫૦ હજારના બે ચેક તેમજ ચાલીસ હજારનો અને ત્રીસ હજાર ના બે ચેક બેંક મા જમા કરાવ્યા હતા તમામ ચેક અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયા હતા. જે પૈકી રૂ ૫૦ હજારના બે ચેક રીટર્ન થયા બાદ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રની કોર્ટ માં આરોપી સામે ફરીયાદ દાખલ કરાઈ હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા અને આરોપી દ્વારા મુખ્ય બચાવ હતો કે માર્ચ ૨૦૧૮ ના અરસામાં તે પહેલા વ્યાજખોરો ના ત્રાસ ને કારણે તેઓ ભાગી ગયા હતા અને તે સમયે ફરિયાદી પાસેથી નાણા લેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પાંચ ચેકો પૈકી બીજા ત્રણ ચેક ની ફરિયાદ ફરિયાદીએ વિડ્રો કરી છે. આરોપીએ જીતેન્દ્ર જસવાણી અને ફરિયાદીના ભાઈ દિનેશભાઈ ચંદુભાઈને આપેલા ચેકો નો દુરુપયોગ કરી હાલની ફરિયાદ કરી છે. ઊલટ તપાસમાં ફરિયાદીએ પોતાને આવક નુ કોઈ સાધન ન હોવાનું તેમજ આરોપીએ ક્યાં સમય ગાળામાં નાણાં ઉછીના માગ્યા તે યાદ ન હોવાનું સ્વીકારેલ અને વર્ષ ૨૦૧૮ ના નવમાં મહિનાના પૈસા આપ્યા હોવાનું જણાવ્યું હતુ માર્ચ ૨૦૧૮ માં આરોપીને પૈસા આપ્યા હોય તેવું બનેલ નથી આરોપી ભાગી ગયા અને તા ૧૬/૦૨/૧૯ ના રોજ કાલોલ પોલીસ તેઓને શોધી લાવી હોવાનો સ્વીકાર કર્યો હતો. ફરિયાદી ફરિયાદ રૂ ૨ લાખ માર્ચ ૨૦૧૮ માં આપ્યા નુ જણાવે છે જ્યારે ફરિયાદી તેમજ સાહેદ પોતાની જુબાનીમાં દિવાળી ની આસપાસ ૨૦૧૮ માં આરોપીને પૈસા આપ્યા હોવાનું જણાવે છે જે પરસ્પર વિરોધાભાસી છે. વધુમાં પોતે જમીન વેચાણ ના પૈસા થી આરોપીને રૂ ૨ લાખ આપ્યા હોવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. આરોપીએ રૂ બે લાખ ની અવેજમાં પાંચ ચેક કેમ આપ્યા પાંચ ચેક ને બદલે એક ચેક કેમ નહી તેનો કોઈ ખુલાશો કરવામાં આવ્યો નથી. ચેક ના સિરિયલ નંબર પણ અલગ અલગ છે.સમગ્ર બાબતે આરોપીના એડવોકેટ જે બી જોશીની દલીલો ગ્રાહ્ય રાખી ફરિયાદી પોતાની આર્થીક ક્ષમતા, કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા આરોપી પંકજભાઈ ગિરધરલાલ કુંઢીયા ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.