શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય રીતેશ પંડ્યાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ધોરણ-9ના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ધોરણ-10ના વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો.10ના વર્ગ શિક્ષક વિપીનભાઇ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.