છે.કાલોલ નગરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે 'નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ-૨' અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશનમાં લોકભાગીદારીથી નિર્મિત ત્રણ નવા રૂમોનું લોકાર્પણ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ હરીશ દુધાતના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું.હાઈ-ટેક સર્વેલન્સ: સમગ્ર નગર અને હાઈવે પર નજર રાખવા માટે ૧૫ વ્યૂહાત્મક સ્થળો પર ૮૪ હાઈ-ક્વોલિટી કેમેરા લગાવવામાં આવ્યા છે.જે કેમેરા હિંમતપુરા બસ સ્ટેન્ડ હાઈવે, એમજીએસ ચોકડી, ડેરોલ સ્ટેશન, જીઆઇડીસી, બસ સ્ટેશન, ભાથીજી મંદિર, સડક ફળિયા, કસ્બા વિસ્તાર,મહાલક્ષ્મી ચોક, ત્રણ ફાનસ, નગરપાલિકા ફુવારા ચોક, બોરુચોકડી ,હીરો કંપની, મલાવ ચોકડી જેવા સ્થળોએ લગાવવામાં આવ્યા છે.૩૬૦ ડિગ્રી સુરક્ષા: આ કેમેરા ચારે તરફ ફરી શકે તેવા હોવાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને ટ્રાફિક નિયમનમાં મોટી મદદ મળશે.આ કેમેરા દ્વારા નગરના આંતરિક વિસ્તારો તેમજ હાઈવે પર સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેનાથી ચોરી, લૂંટફાટ અને ટ્રાફિક જેવી સમસ્યાઓ પર કાબૂ મેળવી શકાશે.
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે આ રૂમો અને સુવિધા લોકભાગીદારી (દાતાઓના સહયોગ) થી તૈયાર કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં હાલોલ ડીવાયએસપી વી. જે. રાઠોડ, કાલોલ સીનીયર પીઆઈ આર. ડી. ભરવાડ, સિનિયર પીએસઆઈ એલ. એ. પરમાર, પીએસઆઈ પી. કે. ક્રિશ્ચિયન, એસઓજી પીઆઇ પટેલ સહિતના અધિકારીઓ પોલીસ સ્ટાફ નગરના નાગરિકો હાજર રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓમાં નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, વિવિધ કોર્પોરેટરો અને આ પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ આપનાર ૧૩ જેટલા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એસપી દ્વારા આ સરાહનીય જનભાગીદારીને બિરદાવવામાં આવી હતી અને તમામ દાતાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.