દિવાળી અગાઉ કર્મચારીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર નો નિર્ણય
રાજ્ય સરકારના કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવાનો, અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ, 2025 થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે - 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. દિવાળી અગાઉ કર્મચારીઓના વ્યાપક હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે.