ડીસા તાલુકાના જોરાપુરા ગામે આંબાજી દલસાજી ઠાકોર અને પુત્રી કાજલબેન ખેતરમાં બાજરી કાપી રહ્યા હતા, પત્નિ શોભાબેન શાકભાજી વીણી રહ્યા હતા.
ત્યારે તેમનો ભત્રીજો નરસિંહજી પ્રધાનજી ઠાકોર ત્યાં આવ્યો અને સગાઇ ન થવા બાબતે સમાજમાં બદનામ કરતાં હોવાનું કહી ઉંઘો પાવડો, ધોકાથી હુમલો કર્યો હતો.
જેમાં ત્રણ જણાંને ઇજા પહોંચી હતી. જ્યારે નયનાબેન નરસિંહજી ઠાકોર, મમતાબેન મહેશજી ઠાકોર અને નરસિંહજી પ્રધાનજી ઠાકોરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શોભાબેને ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.