ડીસા તાલુકાના થેરવાડા ગામના અર્બુદા નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધોળા દિવસે તસ્કરો આવ્યા હતા. જેમણે મૂર્તિ, ચાંદીના છત્ર અને રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ડીસા તાલુકાના થેરવાડા ગામના અર્બુદા નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરની દેખભાળ કરતાં પ્રકાશભાઇ ચૌધરી, વિનોદભાઇ ચૌધરી અને રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, બપોરના સમયે મંદિરમાંથી ચાંદીની એક મોટી એક કિલોની ગોગા મહારાજની મૂર્તિ,
નાના ચાંદીના કુલ 13 ચાંદીના છત્ર, રૂ. 5000 થી વધુની રોકડ રકમની ચોરી કરી હતી. મંદિરમાં અગાઉ પણ ચોરી થઇ હતી. જ્યાં ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.