થરાદના આસોદર ગામના તળાવમાં નર્મદાના નીર આવતા ગામ લોકોએ કર્યા વધામણા,... નર્મદે સર્વ દે, માં નર્મદા ન નીર મુખ્ય કેનાલ થી પાઈપ લાઇન મારફત આસોદર ગામના તળાવમાં પહોંચતા ગ્રામજનો એ વિધિવત પૂજન કરી વધામણા કર્યા હતા.,.. આજે થરાદ તાલુકાના આસોદર ગામના લોકોમાં જળશક્તિ અને રાષ્ટ્રભક્તિનો પ્રસર્યો ઉત્સાહ જોવા મળ્યો .જળ એ જ જીવન છે. થરાદ તાલુકાના આસોદરમાં શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવેલું વચન પૂર્ણ કરતા ગામ લોકો દ્વારા શંકરભાઈ ચૌધરી નો આભાર માન્યો. ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ પાણીનું વચન પુણૅ કરતાં ગામજનો એ આભાર માન્યો હતો.જોકે થરાદ તાલુકાના આસોદર ગામ ખાતેથી પસાર થતી સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી આસોદર ગામના તળાવમાં પાણી ભરવાની મંજૂરી મળતા ગામ લોકો એકઠા બની આભાર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમજ આપણા દેશના વડાપ્રધાન,મુખ્યમંત્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે શંકરભાઈ ચૌધરી દ્વારા ખેડૂતો માટે પાણી માટે આપેલું વચન પૂર્ણ કરતા ગામ લોકો તળાવ કાઠે સાથે મળી હૃદયપૂર્વક શંકરભાઈ ચૌધરી નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તળાવમાં નર્મદા મૈયાના પાણીના વધામણા કર્યા હતા.