જગદગુરુ શંકરાચાર્ય દ્વારા કિશોર ભાઈ દવે ની દક્ષિણ ભારત ના "ગૌ સેવાધીશ" તરીકે ની નિમણૂંક
ગુજરાતના જાણીતા કથાકાર તેમજ ગ્રાહક સુરક્ષા ચળવકાર અને એડવોકેટ કિશોર ભાઈ દવે ની જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીઅવિમુક્તેશ્વરાનન્દ સરસ્વતીજી દ્વારા દક્ષિણ ભારતના ગૌસેવાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. જગદગુરુ શંકરાચાર્ય દ્વારા કિશોર ભાઈ દવે ને ગૌરક્ષાના કર્યા માટે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરેલા, તમિલનાડુ, તેલંગના, અન્ડમાંન/નિકોબાર માટેના ગૌસેવાધીશ એટલે કે પ્રભારી બનાવી ગોહત્યા બંદ કરાવવા તેમજ ગૌમાતાને રાષ્ટ્ર માતા બનાવવાના અભિયાનને દક્ષિણ ભારતમાં મજબૂત કરવા જવાબદારી સોંપવામાં આવી છે..
કિશોર દવે ગૌ સેવાના કાર્યમાં હર હમેશ અગ્રેસર રહ્યા છે. ગુજરાતખાતે ગૌશાળા અને પાંજરાપોળોને વર્તમાનમાં મળી રહેલી સહાય અપાવવામાં કિશોર ભાઈ દવે ની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત તેઓ આમ જનતા ને ગૌમાતાનું મહત્વ સમજાવા ગૌરક્ષા માટે સતત પ્રવાસો કરી જનજાગૃતિનું કામ કરી રહ્યા છે..
તેઓ બનાસકાંઠા જિલ્લાના ધર્માંસદ પણ છે અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે તમામ સનાતનધર્મીઓ એ એકત્ર કરી રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે..
કિશોર દવે ની દક્ષિણ ભારત ના પ્રભારી તરીકે નિયુક્તિ કરાતા ગૌ ભક્તો અને સંતાનધર્મીઓમાં આનંદ જોવા મળ્યો છે..