બનાસકાંઠા પોલીસે એલ.આઇ.સી.ના રૂ. 1.26 કરોડ બચાવતાં પોલીસ વડાને રૂ. 50 હજારનું ઇનામ આપ્યું હતું. જીલ્લા પોલીસ વડાએ રકમ પોલીસ વેલફેરમાં જમા કરાવી હતી.

વડગામના ધનપુરાના હોટલ માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનસિંહ પરમારે પોતાનો રૂ. 1.26 કરોડનો એલ.આઇ.સી.નો વીમો પકવવા માટે પોતાના મોતનું તરકટ રચી હોટલના નોકરની હત્યા કરી કારમાં મૃતદેહ સળગાવી દીધો હતો.

જોકે, બનાસકાંઠા પોલીસે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી એલ.આઇ.સી.ના રૂ. 1.26 કરોડ બચાવ્યા હતા.જે બદલ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને એલ.આઇ.સી. દ્વારા રૂ. 50,000 નું ઇનામ અપાયું હતું. આ રકમ તેમણે પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવી હતી.