કુંભારીયા જૈન મંદીર લૂંટ મામલામાં આજે અંબાજી પોલીસને સફળતા હાથ લાગી હતી. 80 તોલા સોનાની અને 1.5 લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી હતી. જેતવાસ ગામના 2 આરોપીની પોલીસે ઘરપકડ કરી હતી. આરોપીએ કબૂલ્યુ કે અમે દારૂ પીધેલી હાલતમાં હતા અને કારના કાચ તોડ્યા બાદ મુદ્દામાલ લઈને ભાગી ગયા હતા. બંને આરોપીએ નશાની હાલતમાં ચોરી કરી હતી. અંબાજી પોલીસ અને જિલ્લાની વિવિઘ 8 ટીમો દ્વારા પોલિસને 8 દીવસ બાદ સફળતા મળી હતી. આ ઘટનામાં ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી. અંબાજીના કુંભારિયા જૈન દેરાસર ખાતે આવેલા સુરતના જૈન પરિવારની કારમાંથી કરી હતી.
પીયૂષ મહેતા તેમના સમગ્ર પરિવાર સાથે અલગ-અલગ સ્થળોએ ફરવા નીકળ્યા હતા. તે કુંભારિયા જૈન ડેરાસર ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની કારમાં 80 તોલાથી વધુ સોનું હતું. 5 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે જ્યારે તે કુંભારિયા ગામના જૈન મંદિરે પહોંચ્યો ત્યારે તેને રૂમ ખાલી હોવા છતાં આપવામાં આવ્યો ન હતો અને પરિવારના તમામ સભ્યો હોલમાં સૂઈ ગયા હતા. કારનો ડ્રાઈવર પણ અલગ જગ્યાએ ડ્રાઈવર રૂમમાં સૂઈ ગયો હતો, જ્યારે સિક્યુરિટી સ્ટાફ ચેકિંગ માટે નીકળ્યો હતો ત્યારે ચોરોનો અવાજ સાંભળીને એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓએ જોયું કે 2 કારના કાચ તૂટેલા છે.
બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ચોર તેની કારમાંથી 80 તોલાથી વધુ સોનું અને 1.5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પીયૂષ મહેતાને માહિતી આપવામાં આવતા પોલીસના ડેપ્યુટી એસ.પી. ઘટના સંદર્ભે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અલગ-અલગ 8 ટીમો બનાવી હતી. વિવિધ ટીમોએ આસપાસના વિસ્તારની તપાસ કરી હતી અને પછી તે સ્થળથી 500 મીટર દૂર તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. 2 ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ આઠ દિવસ બાદ પોલીસને આ ચોરીની ઘટનામાં મોટી સફળતા મળી હતી. બે ચોરોને પકડી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.