રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરામાં બે દિવસથી વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વડોદરામાં અલકાપુરી સહિતચાર દરવાજા, રાવપુરા, મંગળબજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ગેંડા સર્કલથી ઓલ્ડ પાદરા રોડ સુધી તેમજ ખોડિયારનગર વિસ્તાર, અલકાપુરીમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા.

વડોદરા પરશુરામ ભઠ્ઠા થી અકોટા તરફ જવાનું નાળુ વરસાદી પાણી થી ભરાય જતા ભારે મુશ્કેલી ઉભી થઇ હતી, વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી વાહનો પસાર થતા નજરે પડતા હતા.

બીજી તરગ વડોદરાના પૂર્વ વિસ્તારને પાણી આપતા આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 15 ઓગષ્ટથી 212 ફૂટની સપાટીએ સેટ કરાયું છે. 31 ઓગષ્ટ સુધી સરોવરમાં 212 ફૂટના લેવલ સુધી પાણી ભરી શકાશે. જો સપાટી 212 ફૂટને ક્રોસ કરે તો દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે