સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નાના અંકેવાળીયા ગામે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૧૭૮૨ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગ, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, રદ કરવા, આધારકાર્ડમાં સુધારા વધારા, મિલકત આકારણીના ઉતારા, આવકના દાખલા, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૧૭૮૨ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પનો પણ લોકોએ લાભ લીધો હતો.
નાના અંકેવાળીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૧૭૮૨ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
