ચોટીલાના સાંગાણી ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી ગોપાલભાઈ મયાભાઈ ટોળીયા (ભરવાડ)ના ભાઈ રણછોડભાઈ મયાભાઈ ડોળીયા રાબેતા મુજબ માલઢોર ચરાવવા જઈ રહ્યાં હતાં જેદરમ્યાન કાંધાસર ગામના પાટીયા પાસે ચોટીલા ખાતે રહેતા સીધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠીની કાર ગાય સાથે અથડાતા સીધ્ધાર્થભાઈ સહિત સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રણછોડભાઈ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જે દરમ્યાન રણછોડભાઈએ ફરિયાદીને બોલાવતા ફરિયાદી ગોપાલભાઈ આવી પહોંચ્યા હતા અને મારમારતા બચાવ્યા હતા ત્યારે ફરિયાદીને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ચોટીલા ખાતે રહેતા અને એપીએમસીના હોદ્દેદાર જયરાજભાઈ ભરતભાઈ ધાધલને બોલાવતા તેઓ પોતાની કાર સાથે આવી પહોંચ્યા હતા અને તમામ શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેમના ભાઈ રણછોડભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તેમજ જયરાજભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી પીસ્તોલ (બંદુક) કાઢી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને બે રાઉન્ડ ફાયરીંગ કરી ડાબા હાથે ઈજાઓ પહોંચાડી કાર લઈ નાસી છુટયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ૫શુપાલકને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ (૧) સિધ્ધાર્થભાઈ જકાભાઈ કાઠી દરબાર, રહે.ચોટીલા (૨) જયરાજભાઈ ભરતભાઈ ધાધલ અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શૌચાલય કૌભાંડમાં ભૂત ઉભું થયું, ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ....
શૌચાલય કૌભાંડમાં ભૂત ઉભું થયું, ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ....
ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપસીંગ લવાર ભાજપને છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા
ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપસીંગ લવાર ભાજપને છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો પરથી કુલ- ૧૦,૪૬૮ અને ખાનગી સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરાયા
બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો...
लगभग 35 लाख रुपये कीमत की पजांब निर्मित 272 पेटी अवैध अग्रेजी शराब जप्त
पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा एंव अतिरिक्त पुलिस अधीक्षक बून्दी श्रीमति उमा...