ઘો ૯ થી ૧૨ ના મોટા ભાગના વિષયના પાઠ્યપુસ્તકો હજુ સુધી પંચમહાલની શાળાઓ મા તંત્ર દ્વારા પુરા પાડ્યા નથી. જૂન માસ થી અભ્યાસ ચાલુ થયો છે પ્રથમ સત્ર પુર્ણ થઈ રહ્યુ છે ત્યારે બાળકો પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ધો ૧૧ મા મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ના પુસ્તકો મળ્યા નથી. ઘો ૧૨ કોમર્સ ના નામના મુળ તત્વો ભાગ ૧, આંકડાશાસ્ત્ર ભાગ ૧ અને ૧ , વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના પુસ્તકો મળ્યા નથી ધો ૧૧ સાયન્સ ના કેમેસ્ટ્રી ભાગ ૧ અને ૨,ફિઝિક્સ ભાગ ૧ અને ૨, બાયોલોજી, ઘો ૧૨ સાયન્સ મા અંગ્રેજી, ફિઝિક્સ, પ્રયોગશાળા માર્ગદર્શિકા,કેમેસ્ટ્રી ,બાયોલોજી ના પુસ્તકો મળ્યા નથી ઘો ૧૦ ના કોમ્પુટર વિષયના પુસ્તકો મળ્યા નથી. કાલોલ ના સંકુલ ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી ત્યારે શાળાઓ ના આચાર્યો નો સંપર્ક કરતા પાઠ્યપુસ્તકો માટે વારંવાર રજૂઆત કરવા છતાં મોટા ભાગના પુસ્તકો મળ્યા નથી. ત્રણ એકમ કસોટી પાઠ્યપુસ્તકો વિના લેવાઈ છે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ નો સંપર્ક કરતા અમે રજૂઆત કરી છે પણ ઉપરથી જ પુસ્તકો મળ્યા નથી અને આજે કેટલાક પુસ્તકો આવ્યા હોવાનુ જણાવેલ છે જોકે એકમ કસોટી પાઠ્યપુસ્તકો વગર લેવાઈ હોવાનુ પણ તેઓએ કબૂલ કર્યું છે. ત્યારે પ્રથમ કસોટી નો કાર્યક્ર્મ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolkata में राजभवन के बाहर TMC का धरना जारी, केंद्र सरकार पर लगाए गंभीर आरोप | Aaj Tak News
Kolkata में राजभवन के बाहर TMC का धरना जारी, केंद्र सरकार पर लगाए गंभीर आरोप | Aaj Tak News
ખાંભાના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે નવનિયુક્ત પીએસઆઇ એમ. ડી. ગોહિલ.ના અધ્યક્ષ સ્થાને આગામી તહેવારોને ધ્યાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
આજરોજ તા 22/3/2023 ના રોજ આઉટ પોસ્ટ ખાતે રામનવમી તથા પવિત્ર રમજાન માસ ના તહેવાર નિમિત્તે ખાંભા...
સોજીત્રા ધારાસભ્યએ ખરીદેલ જમીન પર બે ભાઇઓએ કબજો જમાવતા, પોલીસ મથકે ગુનો દાખલ
સોજીત્રા ધારાસભ્યએ ખરીદેલ જમીન પર બે ભાઇઓએ કબજો જમાવતા, પોલીસ મથકે ગુનો દાખલ
ડીસાના વેળાવાપુરા નજીક નીલગાય આડે આવતાં છોટાહાથી પલ્ટતાં 2 યુવકોના મોત : 3 યુવકો ઘાયલ
ડીસા તાલુકાના વેળાવાપુરા નજીક સોમવારે સાંજે નીલગાય આડે આવતાં છોટાહાથી વાહન પલટી ગયું હતુ. જેમાં...