Ravindra Jadeja and CSK: IPL 2022 દરમિયાન, રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મતભેદ થયા હોવાના અહેવાલો આવ્યા હતા. હવે કેટલાક અહેવાલોમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, જાડેજા અને CSKએ તેમના રસ્તા અલગ કરી લેવાનો નિર્ણય લીધો છે. શક્ય છે કે આગામી થોડા દિવસોમાં આ બંનેમાંથી કોઈ એક આ અંગેની જાહેરાત પણ કરે. જો કે આ બધાની વચ્ચે એ સવાલ થઈ રહ્યો છે કે, CSKથી અલગ થયા બાદ રવિન્દ્ર જાડેજા કઈ ફ્રેન્ચાઈઝી માટે રમી શકે છે? આ પ્રશ્નના જવાબમાં અમે અહીં એક નાનકડું વિશ્લેષણ લાવ્યા છીએ.