તળાજા તાલુકાના જુનીકામરોળ ગામમાં ખેતર ભાગમાં રાખી રહેતા એક યુવકે ઝેરી દવી પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યા સારવાર રામે દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

    પ્રાપ્ત માહિતી મુજબ ચીમભાઈ વાઘેલા નામના યુવકે તળાજા તાલુકાના જુનીકામરોળ ગામમાં ખેતર માં ભાગમાં રાખ્યું હતું અને તે ત્યાં રહેતો હતો. ચીમન વાઘેલાએ જ ઝેરી દવી પી લેતા તેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મૃતકના સગા સબંધીઓએ એક શખ્સના ત્રાસથી કંટાળી ચિમનભાઈએ આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.