અંબાજી બ્રેકિંગ...

અંબાજી મંદિરમાં પૂનમના દિવસે બે ભક્તો સોનાનું દાન માં અંબાના ચરણોમાં અર્પણ કર્યું...

એક ભક્તે સોનાનો હાર જ્યારે બીજા ભક્તે સોનાની લગડી માં અંબાના ચરણોમાં અર્પણ કરી...

સોનાના હારનું વજન 225.520 ગ્રામ જેની કિંમત 15,97,301 રૂપિયા..

જ્યારે બીજા ભક્તે અંબાજી મંદિરમાં અઢીસો ગ્રામ સોનાનો દાન આપ્યું. જેમાં 100 ગ્રામના 2 અને 50 ગ્રામનું 1 બિસ્કીટ જેની કિંમત 18,62,501 રૂપિયા..

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાદરવી મેળાના અંતિમ દિવસે સોનાની આવકમાં વધારો...

બંને ભક્તોએ પોતાનું નામ ગુપ્ત રાખી અંબાજી મંદિરમાં સોનાનું દાન આપ્યું...

અંબાજી મંદિર ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં આ સોનાનું દાન સ્વીકારવામાં આવ્યું...

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની આસ્થા અતૂટ...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી