વાજપેયીજીની આજે શ્રદ્ધાંજલિ,જાણો તેમના જીવનની રોચક કહાની

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ચોથી પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આખો દેશ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. પૂર્વ પીએમ વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. દેશમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને, વાજપેયીને વર્ષ 2015 માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અટલજી કવિ, પત્રકાર અને કુશળ વક્તા પણ હતા. અટલ બિહારી વાજપેયીએ હંમેશા શિક્ષણ, સમાજ, ભાષા અને સાહિત્ય પર ભાર મૂક્યો હતો. તો ચાલો જાણીએ અટલ બિહારી વાજપેયીના અમૂલ્ય વિચારો, જે તમારું જીવન બદલી શકે છે.