અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી મહામેળાના બે દિવસ દરમિયાન 4,98,944 જેટલા ભક્તો દર્શનાર્થે પહોંચ્યા

શક્તિ ભક્તિ અને આ આસ્થાનું ત્રિવેણી સંગમ સમુહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાનો પ્રારંભ થયો છે. જ્યારે ભાદરવી મહામેળાના પ્રથમ દિવસે 1,91,220 જ્યારે બીજા દિવસે 3,05,724 જેટલા ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,અંબાજી ભાદરવી મહામેળા 2024ના દૈનિક ડેટા ગણતરી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભાદરવી મેળાના બીજા દિવસે તારીખ:-13/9/2024ના રોજ સાંજે પાંચ કલાક સુધી અંદાજે યાત્રિકોની સંખ્યા 3,05,724 જ્યારે ઉડાન ખટોલા માં યાત્રિકોની સંખ્યા 7,219 અંબાજી મંદિરમાં ધ્વજારોહણ 331 જ્યારે ભોજન પ્રસાદ કરનાર યાત્રીકોની સંખ્યા 65,000 અને પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા મોહનથાળ 2,37,367 જ્યારે ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 5,679 નું વેચાણ થયું છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં 1,93,220 ભક્તોએ મા અંબા સમક્ષ મસ્ત જૂકાવી ધન્યતા અનુભવી હતી અને બીજા દિવસે 3,05,724 મળી ભાદરવી મહામેળાના બે દિવસ દરમિયાન કુલ 4,98,944 લોકોએ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી