અલ કુરેશ ખિદમત ચેરીટેબલ ટ્રસ્ટ (૧૨ ગામ) અને એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજના સયુંકત સહયોગથી કપડવંજ કડીયાપંચ હોલ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પીરે તરિકત અલ્હાજ જનાબ હાજી મુબીનુદ્દિંન કાદરી બાપુ ની સરપરસ્તી માં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે જનાબ હાજી ઈસ્માઈલ ભાઈ ખલીફા (પૂર્વ નાયબ સચિવ સિંચાઈ વિભાગ ગાંધનગર) તેમજ અતિથિ વિશેષ હાજી રઉફભાઈ કુરેશી (પ્રમુખ કૂરેશ સમાજ અમદાવાદ) હાજી સલીમભાઈ કુરેશી (નિવૃત સેક્શન ઓફિસર હાઈકોર્ટ (અમદાવાદ) ડૉ. મકસુદભાઈ શેખ (યુસરા હોસ્પીટલ વિરમગામ) જનાબ શકીલભાઈ સંધી (સામજિક કાર્યકર નડીઆદ) ઉપસ્થિત રહ્યાં હતાં પ્રસંગની સરૂઆત મૌલાના હબીબ સાહેબ પેશ ઈમામ જામાં મસ્જીદ લાલ માંડવા દ્વારા તિલાવતે કુરઆનથી કરવામાં આવી ભાવનાત્મક પ્રવચન અલ કુરેશ ખિદમત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ ઐયુબભાઈ (ફૌજી) દ્વારા આપવામાં આવ્યું તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન જનાબ શકીલભાઈ સંધી તેમજ જનાબ ઈસ્માઈલભાઈ ખલીફા અને ડૉ મકસુદભાઈ દ્વારા આપવામાં આવ્યું ત્યાર બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુમેંટો સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા ત્યાર બાદ આભારવિધિ ખિદમત ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી સલીમભાઈ શેખ દ્વારા કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને શિક્ષિત યુવાઓએ હાજર રહી સમાજમાં શિક્ષણ ઉપયોગી કાર્યો કરવા પ્રેરણા મેળવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...!!