વડીયા શ્રી વિનાયક વિદ્યામંદિરમાં શિક્ષક શ્રી સ્વ ભુપતસિંહ સિંધવના શિષ્ય નિવૃત્ત આર્મી મેન રાઠોડ ભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તારીખ 14 8 20 22 ની સાંજે આજ કી સામ શહીદો કે નામ વિનાયકોત્સવ 2022 નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના પ્રત્યેક બાળકો શિક્ષકો અને સમગ્ર વડિયા શહેરના ગ્રામજનો હરગર તિરંગા ફરકાવી દેશના નાગરિકત્વની ફરજ અદા કરી હતી પ્રત્યેક બાળક મહત્વપૂર્ણ હોવાથી પ્લે હાઉસથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરેલ હતી તેમજ શાળાના તમામ બાળકો અને શિક્ષકોને શાળા દ્વારા સિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા અને શાળાના તમામ સ્ટાફને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગેવાનો હોદ્દેદારો શાળાના વાલીશ્રીઓ નિવૃત્ત શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક શ્રી ઇન્દ્ર રાજસિંહ ભુપતસિંહ સિંધવના માર્ગદર્શન નીચે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તથા તમામ ખૂબ જ મહેનત ઉઠાવી હતી