ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પો.સ.ઈ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોડ, પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઇ. દલપતસિંહ ચંન્દ્રસિંહ નાઓને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે, વેજલપુર પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૭૦૭૬૨૪૦૫૪૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો-૧૨ મુજબ અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભદ્રેશભાઈ સુરેશભાઇ વાળંદ રહે.ગેંગડીયા તા.તિલકવાડા જી.નર્મદા નાનો કણજટ તા.પાદરા જી.વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી કણજટ તા.પાદરા જી.વડોદરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી થવા આરોપી અને ભોગ બનનારને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ.