નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયા વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં માત્ર બે જુગારી ઝડપાયા હતા. જ્યારે ૯ જુગારીઓ નાસી છુટયા હતા. પોલીસે રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારીચાણા ગામના હીતેશભાઈ મનસુખભાઈ નારીયાણીની વાડીમાં આવેલી ઓરડી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના મનસુખભાઈ આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ભરતભાઈ કાનજીભાઈ નારીયાણી અને અમિતભાઈ સુખદેવભાઈ રાતોજા ઝડપાયા હતા. જ્યારે હીતેશભાઈ નારીયાણી, મનસુખભાઈ ગૌતમભાઈ નારીયાણી, બળદેવભાઈ વનજીભાઈ સતાપરા, બળદેવભાઇ ઈશ્વરભાઈ સંતોકી, મુનાભાઈ પોપટભાઈ મઠીયા, બલુભાઇ શનિભાઈ મહારાજ, દશરથભાઇ કોળી, ધમાભાઈ કેશાભાઈ પટેલ અને કિશોરભાઈ નરશીભાઈ પટેલ પોલીસ ને જોઈ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧૦,૪૦૦ અને પાંચ બાઇક સહિત કુલ રૂા.૧,૪૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૧૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.