ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. જેમાં તેઓ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવમાં ભાગ લેશે. જ્યારે સોમવારે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત એક સાથે બે દિવસના દિલ્હી પ્રવાસે જવાના છે. આ પ્રવાસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાત્રે દિલ્હી જવા રવાના થશે. રવિવારે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવ યોજાનાર છે. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આ કોનકલેવ બપોરથી મોડી સાંજ સુધી ચાલશે. જ્યારે સોમવારે દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે. ત્યાર બાદ મોડી સાંજે દિલ્હીથી ગાંધીનગર આવવા પરત આવવા રવાના થશે.