ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં મોહરમ તથા રથયાત્રાને ધ્યાને લઈ ખાસ પોલીસ પેટ્રોલિંગ

સમગ્ર ગુજરાત તેમજ દેશભર મા થોડાક દિવસો બાદ મુસ્લિમ સમાજના મોહરમ આવતા હોય અને રથયાત્રા પણ આવતી હોય તેના અનુસંધાને ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહીત ના માર્ગદર્શન તથા સુચનાથી ધ્રાંગધ્રા સીટી પીઆઈ એમ.યુ.મશી સહીતનો સ્ટાફ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના જાહેર માર્ગો પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને કોઇપણ તહેવાર મા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્રારા ખાસ બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારી દર્શાવી છે ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્રારા ધ્રાંગધ્રા ના ગ્રીન ચોક, શક્તિ મંદિર, રાજકમલ, જુની શાક માર્કેટ નગરપાલિકા સહીતના જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ કાઢ્યો હતો