દાહોદમાં તા. ૨૨-૦૬-૨૦૨૪ ના રોજ તમામ તાલુકા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

લોક અદાલતના માઘ્યમથી સમાધાન કરવા ઈચ્છતા તમામ પક્ષકારોએ સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલીક અરજી કરવી રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્યે સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

દાહોદ : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદના અધ્યક્ષસ્થાને તથા તાલુકાકક્ષાએ ચેરમેન અને મહે.જયુડી.મેજી.સાહેબના અધ્યક્ષ સ્થાને દેવગઢ-બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં તારીખ : ૨૨/૦૬/ ૨૦૨૪ ના શનિવારના રોજ સવારના ૧૦ : ૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં દાહોદ જીલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત, કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બીલના કેસો (બીજીવાર કે તેથી વધુ વાર ચોરીના કેસો સિવાયના), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.

આ તમામ કેસોમા લોક અદાલતના માઘ્યમથી સમાધાન કરવા ઈચ્છતા તમામ પક્ષકારોએ સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલીક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.

પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોના કાર્યક્ષેત્રમાં હોય ત્યાં સંબંધીત કોર્ટમાં આપના કેસ તારીખ : રર/૦૬/૨૦૨૪ (શનિવાર) ના રોજ આયોજીત "રાષ્ટ્રીય લોક અદાલત" માં મૂકવા સંપર્ક કરવો.

લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન પાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલશ્રીઓને તથા નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે એમ એસડી/ફુલટાઈમ સેક્રેટરી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દાહોદશ્રી એસ. એસ. પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.