હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી  તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે.   ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના    ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી  હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ  કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે.  આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે.  આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.