ડીસા હાઈવે પર જલારામ મંદિરની બાજુમાં આવેલ શુભ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા મકાન નંબર ત્રણ જર્જરિત હાલતમાં હોઈ ધાબાના કઠેડાનો આખો સ્લેબ તૂટીને નીચે પડ્યો હતો.

ધડાકાભેર અવાજ થતાં આજુબાજુના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.બપોરનો સમય હોવાથી અહીં કોઈ અવર-જવર ન હતી. સાંજના સમયે અહીં સોસાયટીના બાળકો રમતા હોય છે પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી.

આ મકાન ઘણા સમયથી જર્જરીત હોઇ અગાઉ સોસાયટીના રહીશોએ મકાન માલિકને આ અંગે ધ્યાન પણ દોર્યું હતું. જોકે, તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે હવે જર્જરીત મકાનનો અન્ય ભાગ પણ તૂટે તે અગાઉ મકાન માલિક જાગે તે જરૂરી છે.