શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પાનસર (તાલુકા- કલોલ) ખાતે દ્વિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિર તેમજ રેલી યોજાઇ હતી.પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યને સાચી સમજણ સત્સંગ, કથા વાર્તા થકી આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રીનું જીવનમાં પાલન કરવું અતિ આવશ્યક છે. મનુષ્યનું જીવન સત્સંગમાં રહેશે તો સારા સંસ્કાર પ્રાપ્ત થશે. ધણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.