પેટલાદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક,સ્ટેશન ચોકી પાસે વડ નીચે ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત યુવાનો દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી છે. ઈસ્માઈલભાઈ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલ ગરમીમા લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે નળ બેસાડી પાણીની પરબ બનાવવામા આવી છે. નિયમિત ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. ડાયવર્ઝન રસ્તાને લઈને લોકોને તકલીફ પડતી હતી જેને કારણે ઈસ્માઈલભાઈ દ્વારા રસ્તો સૂચક બેનરો પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેઓ અનેક પ્રકારના નાના-મોટા સેવાકીય કામો કરી રહ્યા છે.