દાંતીવાડા ડેમમાંથી પસાર થતી કેનાલમાં ડીસાના સમૌ ગામ પાસેથી ગુરૂવારે એક યુવકની લાશ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી લાશને બહાર કાઢી તેની ઓળખવિધી માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસાના સમૌ ગામ પાસેથી પસાર થતી દાંતીવાડા કેનાલમાં ગુરૂવારે એક યુવકની લાશ તરતી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવતા ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ દોડી આવી લાશને કેનાલમાંથી બહાર કાઢી તેના વાલી વારસો માટે તપાસ હાથ ધરી હતી.

જોકે, મૃતકના પાસેથી કશું મળી ન આવતા મૃતક કોણ છે, ક્યાં ગામનો છે તે પોલીસ જાણી શકી ન હતી. જેથી પોલીસે લાશને પી.એમ. અર્થે ડીસા લાવી વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.