દાંતીવાડા ના વાઘરોળ થી ચિત્રાસણી રોડ ઉપર વાહનો ના કઠેડા ઉપર બેસી જીવના જોખમે મુસાફરી 

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં મોટા ઉદ્યોગો ન હોવાથી ધંધા - રોજગાર અને મજુરી માટે પ્રજાજ નો આજુ બાજુના વિસ્તારોમાં દરરોજ અપડાઉન કરતાં હોય છે..

જેની સામે પરિવહન ની સુવિધાઓ પણ ન હોવાથી નાછુટકે જીવના જોખમે ખાનગી વાહનો ની છત ઉપર બેસીને મુસાફરી કરવી પડી રહી છે..

તંત્રને પણ તેની ખબર હોવા છતાં કોઇ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી..

કોઈ પણ ઘટના કે જાનહાની સર્જાયે તો જવાબદાર કોણ...