આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, CM અરવિંદ કેજરીવાલને સિંગાપુર જઈને વિશ્વના નેતાઓ ની સામે દિલ્હી મોડલની ચર્ચા કરતા PM મોદી રોકી રહ્યા છે, તે દિલ્હીની જનતા નું મોટું અપમાન છે. દિલ્હીના લોકપ્રિય CM કેજરીવાલથી PM મોદી ઈર્ષ્યા કરે છે, કારણ કે એક વિદેશી સરકારે તેમને વિશ્વના નેતાઓ ની સામે દિલ્હીના વિકાસ નું મોડેલ રજૂ કરવા માટે બોલાવ્યા છે. દિલ્હી વાસીઓ માટે ગર્વની વાત છે કે તેઓ મોહલ્લા ક્લિનિક થી લઈને સારી શાળાઓ બનાવવામાં ભાગીદાર થયા છે. તેમણે કહ્યું કે CM અરવિંદ કેજરીવાલને સિંગાપોરની મુલાકાત જતા અટકાવી ને PM મોદીએ પોતાને હાસ્યાસ્પદ બનાવ્યા છે, તેમની અસુરક્ષા વિશ્વની સામે ભારતની છબીને બગાડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં પોતાના નામના નારા લગાવીને પોતાનો ડંકો વગાડવા માંગે છે, જ્યારે ડંકો ભારત નો વાગવો જોઈતો હતો. CM અરવિંદ કેજરીવાલ ભાગ્યે જ વિદેશ જાય છે, જ્યારે PM મોદી ભાગ્યે જ ભારતમાં રહે છે.

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધી હતી. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, લગભગ દોઢ મહિના પહેલા સિંગાપુરના હાઈ કમિશનર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. એ મિટિંગમાં હું પણ હાજર હતો. દિલ્હી અને સિંગાપુર વિશે ઘણી વાતો થઈ. હાઈ કમિશનરે કહ્યું કે સિંગાપુર સરકાર ઈચ્છે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંગાપુર આવે. સિંગાપુરમાં સેંકડો શહેરો ની સમિટ છે. તેમાં અરવિંદ કેજરીવાલે વિદેશના સેંકડો નેતાઓને દિલ્હીમાં થઈ રહેલા વિકાસ કાર્યો અને દિલ્હીના મોડલ વિશે જણાવવું જોઈએ. જેથી તે તમામ લોકોને દિલ્હી મોડલ નો લાભ મળે. ત્યાં પણ દિલ્હી મોડલ ની વાત પહોંચે.

તેમણે કહ્યું કે મારા મતે આ દિલ્હીના લોકો માટે ગર્વની વાત છે. છેલ્લા બે વખતથી દિલ્હીની જનતા કેજરીવાલ સરકાર ને બહુમતી થી ચૂંટી રહી છે. મોહલ્લા ક્લિનિક, વર્લ્ડ ક્લાસ સ્કૂલ, ડેન્ગ્યુ પર 10 અઠવાડિયા 10 વાગ્યે 10 મિનિટ અભિયાન, દિલ્હીમાં પ્રદૂષણમાં 25% ઘટાડો કરવા સહિત દરેક પ્રોજેક્ટમાં દિલ્હી વાસીઓ ની ભાગીદારી છે.

દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આજે જો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રી ને વિદેશ જતા અટકાવી રહ્યા છે તો તે દિલ્હીની જનતા નું અપમાન છે. દરેક ભારતીય માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે વિદેશી સરકાર દ્વારા ભારતના એક મુખ્યમંત્રીને સેંકડો વિદેશી નેતાઓ ની સામે આપણા દિલ્હી મોડલ વિશે વાત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ ને રોકી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી કેમ નથી ઈચ્છતા કે દિલ્હી અને ભારતના લોકોનું નામ થાય?

તેમણે કહ્યું કે ઘણીવાર એવું જોવામાં આવશે કે જ્યારે નરેન્દ્ર મોદી વિદેશ જાય છે ત્યારે તેમની ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમ પહેલાથી જ લોકોને શીખવે છે કે તમારે મોદી મોદીના નારા લગાવવા પડશે. જ્યારે નારા ભારત-ભારત હોવા જોઈએ. આપણા ભારત દેશ વિશે નારા લાગવા જોઈએ. ભારતનું નામ ઊંચું હોવું જોઈતું હતું અને મોદી પોતાનું નામ ઊંચું કરવા માગે છે કે મારા નામનો ડંકો વાગે અને ભારત દેશનો ડંકો ના વાગે. વિદેશની સરકાર ભારતના એક લોકપ્રિય મુખ્યમંત્રીને બોલાવે છે તો નરેન્દ્ર મોદીને ઈર્ષા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નાના રાજ્યના મુખ્યમંત્રીથી જલન થઇ રહી છે.

ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે નરેન્દ્ર મોદી વર્ષમાં એક ડઝનથી વધુ વખત વિદેશ જાય છે. કોરોના પહેલા તે દર મહિને વિદેશના ઘણા ફેરા કરતા હતા. પીએમ મોદીનો પાસપોર્ટ કદાચ દર વર્ષે બનતો હશે, કારણ કે તેમને એટલા બધા વિઝા મળે છે. તે નરેન્દ્ર મોદીને આજે દિલ્હીના મુખ્યમંત્રીની ઈર્ષ્યા અને જલન થાય છે કારણ કે વિદેશી સરકાર દિલ્હીના મુખ્યમંત્રીને આમંત્રણ આપીને કહે છે કે તમે અમારી પાસે આવો અને વિદેશથી આવેલા સેંકડો નેતાઓની સામે અમને દિલ્હી મોડલ બતાવો.

તેમણે કહ્યું કે ધારો કે જ્યારે ટ્રમ્પનો સમય હતો, તો ભારત સરકાર દ્વારા વોશિંગ્ટન-ટેક્સાસના ગવર્નરને બોલાવવામાં આવે કે ટેક્સાસમાં ખૂબ સારું કામ થયું છે. તે ભારતમાં દરેકને જણાવે કે કેવી રીતે કામ થયું અને કેટલું સારું કામ થયું. તે સમયે જાણી લો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને આવવા દેતા નથી અને રોકી રહ્યા છે કે તમે જઈ શકતા નથી. ભલે બીજું કોઈ જાય. આવી સ્થિતિમાં, વિદેશમાં અને ભારતમાં ટ્રમ્પની કેટલી બદનામી થશે કે એક રાષ્ટ્રપતિ નાના રાજ્યના નેતાને અટકાવી રહ્યા છે કે તમે નહીં જાઓ, જ્યાં જઈશ, હું જઈશ.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિદેશમાં ભારતની બદનામી થઇ રહી છે. આખી દુનિયા આપણા પર હસી રહી છે કે એક વડાપ્રધાન એક મુખ્યમંત્રીને આમંત્રણ પર વિદેશ જતા અટકાવી રહ્યા છે. તે ફરવા નથી જઈ રહ્યા. જો તમે સીએમ અરવિંદ કેજરીવાલનો રેકોર્ડ જુઓ તો તેઓ ભાગ્યે જ વિદેશ પ્રવાસે જાય છે. બીજી તરફ નરેન્દ્ર મોદી છે જે ભાગ્યે જ દેશમાં રહે છે. મોદીએ કોરોનાના ડરથી રોકાવું પડયું હતું, નહીં તો તેઓ હંમેશા વિદેશમાં રહેતા હતા. આ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. વડાપ્રધાનના આ કૃત્યથી સમગ્ર વિશ્વમાં ભારતનું માથું ઝુકી રહ્યું છે.