સુરેન્દ્રનગરમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની સીટી એ ડિવિઝન પોલીસ મથકે દાળમીલ રોડ પરની અરૂણ સોસાયટીના રહીશ રવીભાઇ ભાલચંદ્ર દવેએ નોંધાવી હતી.તા.16-3-24ના રોજ તેઓ તેમના માતા, પિતા તથા પત્નિ સહિત મિત્રને ત્યાં વાસ્તુમાં ભુજ ગયા હતા.ત્યાંથી પરત આવી જોતા ઘરતુ તાળુ તુટેલુ જણાયુ હતુ.આથી તીજોરીમાં તપાસ કરતા તેમાંથી ધરેણા, રોકડા સહિત કિમતી વસ્તુ મળી આવી ન હતી.આથી સોનાચાંદીના દાગીના, રોકડા, મોબાઇલ, ઇયરપોડસ, સ્માર્ટવોચ, પાવરબેંક સહિત રૂ.1,90 લાખનો મુદામાલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ પીએસઆઇ ડી.એચ.ચૌહાણ ચલાવી રહ્યા છે.