પાટડીના જૈનાબાદ રૂસ્તમગઢ રોડ પર રાજકોટની આંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. જેથી ડ્રાઈવર અને કંડકટરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. એમ્બ્યુલન્સ માંથી કંડકટર અને ચાલકને જે.સી.બી.ની મદદ લઈને બહાર કાઢવામાં આવ્યાં હતા. ડ્રાઈવરના જણાવ્યાં મુજબ એક બાઇક ચાલક અચાનક પુરઝડપે ડ્રાઇવિંગ કરી આડો ઉતરતા તેને બચાવવા જતા એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી.દસાડા તાલુકાના જૈનાબાદ પાસે એક એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી. જેમાં રાજકોટ ખાતે આવેલ આંખની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને મૂકીને પરત ફરી રહી હતી, તે અરસામાં રૂસ્તમગઢ જૈનાબાદ પાસે અચાનક એક બાઇક ચાલક આડો ઉતારતા તેને બચાવવા જતા ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જેમાં કંડકટરને જે.સી.બી મારફત બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી. ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, ત્યારે આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા "જિલ્લા યુવા ઉત્સવ"નું આયોજન
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ...
ગુજરાતના યુવાનોને અરવિંદ કેજરીવાલે નોકરી આપવાનું આપ્યું વચન
ગુજરાતના યુવાનોને અરવિંદ કેજરીવાલે નોકરી આપવાનું આપ્યું વચન
કેશોદ બ્રહ્મ નવરાત્રી ૨૨ નાં પ્રવેશ પાસનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો | NEWS UPDATES GUJARATI
કેશોદ બ્રહ્મ નવરાત્રી ૨૨ નાં પ્રવેશ પાસનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો | NEWS UPDATES GUJARATI
अनिल विज बोले- मेरी हत्या की साजिश रची गई:प्रशासन ने खून खराबे की कोशिश की, ताकि विज या उसका वर्कर मर जाए
हरियाणा के परिवहन मंत्री अनिल विज ने दावा किया कि विधानसभा चुनाव में मेरी हत्या की साजिश रची गई।...