સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.