ગોધરા સબજેલના કેદીએ પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં એચએસસીની પરીક્ષાનું પેહલું પેપર આપ્યું

             પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીના એચએસસીના કેન્દ્ર ઉપર આજરોજ ગોધરા સબજેલના કેદીએ ધોરણ ૧૨ ના ભૂગોળ વિષય ની પરીક્ષા આપી હતી. 

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર નજીક આવેલ ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પુનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવા ને મોકલવામાં આવ્યો હતો. કૃષ્ણકાંત રાઠવા એ ધોરણ ૧૨ ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી. નામદાર કોર્ટે મંજૂરી આપતા આજરોજ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી એચએસસી ના કેન્દ્ર ઉપર ભૂગોળ ની પરીક્ષા આપવા માટે એક પીએસઆઇ કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા. જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી. કૃષ્ણકાંત જે બ્લોકમાં પરીક્ષા આપી રહ્યો છે તે બ્લોક ની નજીક જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

           કૃષ્ણકાંત રાઠવાની એચએસસી ની પરીક્ષા ૨૬ માર્ચ સુધી ચાલતી હોય જેઓને પોલીસ બંદોબસ્ત સાથે દરેક પેપરમાં લાવવામાં આવનાર છે. કુષ્ણકાંતે પણ તંત્ર દ્વારા તેની પરીક્ષા આપવાની અરજીને મંજૂર કરી પરવાનગી આપતા તંત્રનો આભાર માન્યો હતો. 

            આમ, પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી એચએસસી ના કેન્દ્ર ઉપર ગોધરા સબજેલ નો આરોપી ધાઘરપુરાનો રહીશ કૃષ્ણકાંત રાઠવા પોલીસ બંદોબસ્ત સાથે એચએસસીની પરીક્ષા આપી રહ્યો છે.