વઢવાણ : જિલ્લામાં શ્રાવણ માસના દિવસોમાં ઉપવાસો સાથે શિવજીની આરાધના કરી રહ્યા છે. જિલ્લામાં દૈનિક 2.5 લાખના ખર્ચે ખપતા ફળોની માગ વધતા હાલ રોજ 4 લાખથી વધુના ફળો આરોગતા હોવાનું બહાર આવ્યું છે. ઝાલાવાડમાં વિવિધ ફળોની માગ વધુ રહેતા જિલ્લામાં ફળોના અંદાજે હોલસેલના 5 તેમજ રિટેલના 100થી વધુ વેપારીઓ તેમાં જોડાયેલા છે. ત્યારે સીમલા, દિલ્હી, કાશમીર, અદાવાદ, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોએથી ફળો જિલ્લામાં આવે છે. સ્વસ્થ્ય નિરોગી રહે તે માટે અમુક લોકો દરરોજ ફળોનો આહાર કરતા હોય છે.બીજી તરફ વિવિધ રોગચાળામાં સપડાતા લોકોને પણ ફળો આરોગવા પડે છે. આથી જિલ્લામાં દૈનિક રૂ. 2.5 લાખ જેટલુ ફળોનું વેચાણ રહે છે. પરંતુ હાલ શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમને લઇને ફળોનો પ્રસાદ વધ્યો છે. તો ફળોના ભાવમાં પણ અંદાજે 20 ટકા જેટલા ઘટાડો હોવાથી લોકોમાં રાહત ફેલાઇ છે. આ અંગે ફળોના વેપારી કિશોર પ્રજાપતિએ જણાવ્યું કે, દરરોજ ખપતા ફળોની સામે શ્રાવણ માસમાં દૈનિક સફરજન, કેળા, નારંગી, મોસંબી, પાણીના નાળીયર સહિતના ફળોની માંગ વધી છે. આથી હાલ જિલ્લામાં રોજ 4 લાખના ફળો લોકો ખરીદી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OTD: 369 दिन और 23 मैच के बाद सचिन तेंदुलकर बने थे '100 अंतरराष्ट्रीय शतकों' के शहंशाह, वो चेहरे के भाव...
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। 'क्रिकेट के भगवान' माने जाने वाले सचिन तेंदुलकर ने आज...
14000 रुपये सस्ता मिल रहा iPhone 14, 12MP प्राइमरी कैमरा के साथ मिलता है सुपर रेटिना XDR डिस्प्ले, जानें ऑफर डिटेल्स
अगर आप नया फोन खरीदने की तैयारी कर रहा है और आईफोन आपकी लिस्ट में शामिल है तो यह सही मौका है। हम...
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ
બગસરામાં ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમીની શોભા યાત્રામાં લોકોએ જોડાવા જુનિયર અમિતાભ બચ્ચને કરી અપીલ