સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार में कम हुए गोलीबारी के मामले, IPS दिनेश एमएन ने डेटा शेयर कर राजस्थान पुलिस को दी बधाई
राजस्थान पुलिस क्राइम ब्रांच के एडीजी दिनेश एमएन ने शुक्रवार को सोशल मीडिया पर एक पोस्ट किया है...
ગુજરાતમાં કયા પક્ષની છે લહેર ? જનતા સાથે સીધો સંવાદ
ગુજરાતમાં કયા પક્ષની છે લહેર ? જનતા સાથે સીધો સંવાદ
Prashant Kishor Interview में फंडिंग, चुनाव लड़ने, Ram Mandir, PM Modi पर क्या बोल गए? | Jamghat
Prashant Kishor Interview में फंडिंग, चुनाव लड़ने, Ram Mandir, PM Modi पर क्या बोल गए? | Jamghat
ગારિયાધાર. તાલુકાના પચ્ચેગામ રોડ સહિત વિસ્તારમાં 33.95 મતદાન થયું
ગારિયાધાર. તાલુકાના પચ્ચેગામ રોડ સહિત વિસ્તારમાં 33.95 મતદાન થયું
જિલ્લાના 176 કેન્દ્ર પર માતા શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કાટવાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ...