સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी पर दीया कुमारी का हमला, कहा- विदेश में अपने देश की बुराई करना ठीक नहीं
कांग्रेस सांसद और लोकसभा नेता प्रतिपक्ष राहुल गांधी के बयान पर राजस्थान की उपमुख्यमंत्री दीया...
જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા, જેલોના વહીવટને વધુ પારદર્શક સારો બનાવવાના પ્રયત્નો અંગે વિચાર વિમર્શ કરાશે - અધિક પોલીસ મહાનિદેશક
જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા, જેલોના વહીવટને વધુ પારદર્શક સારો બનાવવાના પ્રયત્નો અંગે...
অভয়াপুৰীত ৬৬সংখ্যক দুৰ্গা পূজা আয়োজনৰ বৃহৎ প্ৰস্তুতি
নামনি অসমৰ অন্যতম পূজাস্থলী অভয়াপুৰী সাৰ্বজনীন দুৰ্গা পূজা উদযাপন সমিতিয়ে এইবাৰ ৬৬সংখ্যক...
દિગ્વિજયગઢ ગામે વાડીમાં દીપડાએ દેખા દેતા વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યુ#breakingnews #bignews
દિગ્વિજયગઢ ગામે વાડીમાં દીપડાએ દેખા દેતા વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યુ#breakingnews #bignews