સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करणी सेना प्रमुख सूरजपाल अम्मू पर दिल्ली में FIR दर्ज, गुर्जर समाज के खिलाफ अपशब्द बोलने का आरोप
दिल्ली के जैतपुर थाने में करणी सेना के प्रमुख सूरजपाल अम्मू के खिलाफ केस दर्ज किया गया है. दरअसल...
સાગબારા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના આરોપીઓને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરતી સાગબારા પોલીસ
સાગબારા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના આરોપીઓને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર...
आमदार बांगर यांच्या प्रमुख उपस्थितीत हरिविजय ग्रंथाचा समारोप
हिंगोली शिवसेना जिल्हाप्रमुख तथा कळमनुरी विधानसभा मतदारसंघाचे आमदार संतोष बांगर यांच्या प्रमुख...
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.
કોંગ્રેસ સમિતિ મહુવા દ્વારા ગુજરાત બંધમાં જોડાવા અનુરોધ કરાયો.
কাজিৰঙাত চৰম দৰিদ্ৰতাৰ মাজত দিন অতিবাহিত কৰিছে বৃদ্ধ দম্পতীয়ে।
কাজিৰঙাত চৰম দৰিদ্ৰতাৰ মাজত দিন অতিবাহিত কৰিছে বৃদ্ধ দম্পতীয়ে।কন্যা সন্তানক লৈ পশ্চিম কাজিৰঙা...