કાલોલ તાલુકાના ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના પટાંગણમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન તથા"ન્યુટ્રીસિરીઅલ" યોજના અન્વયે કૃષીમેળા-વ -પ્રદર્શનનું આયોજન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેડૂતોને ન્યુટ્રીસિરીઅલ એટલે કે તૃણ ધાન્ય/અનાજનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય જેવા કે બંટી, બાવટો, જુવાર,નાગલી, સામો જેવા અનાજમાં ભરપૂર માત્રામાં મિનરલ અને પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.આ સાથે ડેરોલ સંશોધન કેન્દ્ર,આ. કૃ.યુનિ.ના વૈજ્ઞાનિક ચિરાગભાઈ ડામોર દ્વારા તેમના સંશોધન કેન્દ્ર દ્વારા અખતરા કરતા વિવિધ પાકોની નવીન આઘુનિક જાતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અનિલભાઈ તેમજ નરવતસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્ર સહજીવન પાક પદ્ધતિ અંગે સમજ આપી ૧ દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે તે અંગે તેમના અનુભવો રજૂ કર્યા હતા.આ સાથે ખેડૂતોને વિવિધ સહાય રકમ હેઠળ હુકમો એનાયત કરાયા હતા.કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા ઉપપ્રમુખ, બાગાયત અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, મદદનીશ ખેતી નિયામક (ગુ. નિ),મદદનીશ ખેતી નિયામક (કપાસ), ખેતી અધિકારી,જી. પં, વિસ્તરણ અધિકારી,ગ્રામ સેવકઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિંમતનગર : તમે કેમેરાની નઝર હેઠળ છો, વાહન ચાલકો ને 73,21,200/₹ નો દંડ ફટકરાયો.
હિંમતનગર માં આરટીઓ ચાર રસ્તા થી સહકારી ચાર રસ્તા, મોતીપુરા, તુલસી કોમ્પ્લેક્સ, ગોકુલનગર રેલવે...
Delhi Sakshi Murder Case: सिर में चोट और हड्डियां क्रैक, दिल दहलाने वाले हुए खुलासे | Post Mortem
Delhi Sakshi Murder Case: दिल्ली में दिल दहला देने वाली घटना को शाहबाद डेयरी इलाके में अंजाम दिया...
पैगंबर मोहम्मद पर टिप्पणी, पश्चिमी UP में हाईअलर्ट:नरसिंहानंद पर एक और FIR; AIMIM नेता हाउस अरेस्ट
उत्तर प्रदेश के गाजियाबाद में जूना अखाड़े के महामंडलेश्वर यति नरसिंहानंद के पैगंबर मोहम्मद पर दिए...
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત તંત્ર સજ્જ ઈવીએમ-વીવીપેટ સહિત વિવિધ ચૂંટણીનું સાહિત્ય તૈયાર
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત તંત્ર સજ્જ ઈવીએમ-વીવીપેટ સહિત વિવિધ ચૂંટણીનું સાહિત્ય તૈયાર
સરદાનગર માં નવા બની રહેલ ફ્લેટ માં કલરકામ કરનાર એમ.પી શ્રમિક નું ચોથા માળેથી નીચે પટકાતા જીવ ગુમાવ્ય
સરદાનગર માં નવા બની રહેલ ફ્લેટ માં કલરકામ કરનાર એમ.પી શ્રમિક નું ચોથા માળેથી નીચે પટકાતા જીવ ગુમાવ્ય