કાલોલ તાલુકાના ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના પટાંગણમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન તથા"ન્યુટ્રીસિરીઅલ" યોજના અન્વયે કૃષીમેળા-વ -પ્રદર્શનનું આયોજન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેડૂતોને ન્યુટ્રીસિરીઅલ એટલે કે તૃણ ધાન્ય/અનાજનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય જેવા કે બંટી, બાવટો, જુવાર,નાગલી, સામો જેવા અનાજમાં ભરપૂર માત્રામાં મિનરલ અને પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.આ સાથે ડેરોલ સંશોધન કેન્દ્ર,આ. કૃ.યુનિ.ના વૈજ્ઞાનિક ચિરાગભાઈ ડામોર દ્વારા તેમના સંશોધન કેન્દ્ર દ્વારા અખતરા કરતા વિવિધ પાકોની નવીન આઘુનિક જાતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અનિલભાઈ તેમજ નરવતસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્ર સહજીવન પાક પદ્ધતિ અંગે સમજ આપી ૧ દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે તે અંગે તેમના અનુભવો રજૂ કર્યા હતા.આ સાથે ખેડૂતોને વિવિધ સહાય રકમ હેઠળ હુકમો એનાયત કરાયા હતા.કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા ઉપપ્રમુખ, બાગાયત અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, મદદનીશ ખેતી નિયામક (ગુ. નિ),મદદનીશ ખેતી નિયામક (કપાસ), ખેતી અધિકારી,જી. પં, વિસ્તરણ અધિકારી,ગ્રામ સેવકઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મનોજ સોરઠીયાએ વડાપ્રધાનના સુરત પ્રવાસ આવવા પાછળનું જણાવ્યું કારણ
સુરત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનું સુરતમાં નરેન્દ્ર મોદીના...
अमानगंज ग्राम पंचायत बलगहा मझगवा शेख सामुदायिक भवन चढ़ा भ्रष्टाचार की भेंट!!
अमानगंज ग्राम पंचायत बलगहा मझगवा शेख सामुदायिक भवन चढ़ा भ्रष्टाचार की भेंट!!
Kolhapur : पन्हाळगडावर ३७५ फूट लांबीच्या तिरंगा ध्वजाचे संचलन...BPN news network
Kolhapur : पन्हाळगडावर ३७५ फूट लांबीच्या तिरंगा ध्वजाचे संचलन...BPN news network
MCN NEWS | वैजापूर पोलिसांनी जपली ५० वर्षांची परंपरा..
MCN NEWS | वैजापूर पोलिसांनी जपली ५० वर्षांची परंपरा..
RSS ने कहा- जाति जनगणना संवेदनशील मुद्दा:समाज के विकास के लिए ये करनी चाहिए
राष्ट्रीय स्वयंसेवक संघ ने सोमवार को जाति जनगणना को लेकर कहा कि यह लोगों के कल्याण के लिए सही है,...