કારચાલકે આખલાને એડફેટે લેતા ઘટના સ્થળે આખલાનું નીપજ્યું મોત

દાંતા તાલુકા વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ચોક્કસથી દાંતા તાલુકાના મહત્તમ માર્ગો વળાંકો અને ઢળાવ વાળા હોય અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે આ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે જ્યારે ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો અંબાજી તરફથી દાંતા તરફ જઈ રહેલ ઇનોવા કાર ચાલેકે અકસ્માત સર્જ્યો હતો ચોક્કસથી કહી શકાય કે એક આખલાને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી આ ઘટનામાં આખલાનું કરુણ મોત નિપજ્યું હતું. ચોક્કસથી વાત કરવામાં આવે તો અંબાજી દાંતા રોડ પર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નજીક પાર્વતી બંગ્લોઝ જવાના માર્ગ નજીક અકસ્માત સર્જાયો હતો ઇનોવા કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી હતી કાર ચાલકે એક આખલાને અડફેટે લેતા ઘટના સ્થળે આખલાનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ અંબાજી ગોરી ગૌ સેવા કેન્દ્રના કાર્યકર્તાઓને કરાતા ગોરી ગૌ સેવા કેન્દ્રના કાર્યકર્તાઓ ઘટના સ્થળે આવી આખલાને લઈ જઈ ધાર્મિક વિધિ વિધાન સાથે આખલાને સમાધિ આપી હતી જ્યારે વધતા જતા અકસ્માતો અને ગાયોના મોતને લઈ ગૌસેવકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી