સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.