આઇ શ્રી ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં ફૂલોના શણગારથી હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. જેમાં શુક્રવારે રાત્રે ભજન સંધ્યા (ડાયરા) માં સાહીત્ય કલાકાર જયદીપભાઇ ગઢવી, ગાયક કલાકાર અલકાબેન રાઠોડ, તુષારભાઇ સોમેશ્વરા, રાજનભાઇ કાપરા, માલગઢના મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટી અને ભાવેશભાઇ પઢિયાર (કેદારનાથ) એ મોડી રાત સુધી ભક્તજનોને ડોલાવ્યા હતા.

જ્યારે શનિવારે સવારે આઇ શ્રી ખોડીયાર યુવક મંડળ અને ગ્રામજનો દ્વારા દર્શનાર્થીઓને ભોજન પ્રસાદમાં 151 કિલોથી વધુની લાપસી પ્રસાદ વહેંચી ધન્યતા અનુભવી હતી. જ્યારે ખોડીયાર માતાજીના મંદિરે સાંજે મહાઆરતી યોજાઇ હતી.

જેમાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા શ્રી ખોડીયાર યુવક મંડળ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.