સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા ફોરવ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા.કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો. જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી.ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફુલેકું નીકળ્યુ હતું. જેમાં પણ વરરાજાને રંગબેરંગી લાઈટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘોડાઓ ખેલવતાં ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે 200 ચિત્તા હતા 
ગ્વાલિયર, ઇન્દોર અને ભાવનગરના મહારાજાએ પણ ચિત્તા પાળ્યા હતા 
 
                      ભારતમાં ચિત્તાઓનું અસ્તિત્વ ખતમ થઈ ગયા બાદ 75 વર્ષ પછી જ્યારે ચિત્તા લાવવામાં આવ્યા છે ત્યારે આ...
                  
   દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II 
 
                      દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
                  
   दस दिवसीय निशुल्क आयुर्वेद शल्य चिकित्सा शिविर कल से... 
 
                      दस दिवसीय निशुल्क आयुर्वेद शल्य चिकित्सा शिविर कल से...... आयुर्वेद विभाग के तत्वावधान में दस...
                  
   ಬೆಂಗಳೂರಿನ ಫೀನಿಕ್ಸ್ ಮಾಲ್ ಆಫ್ ಏಷ್ಯಾದಲ್ಲಿ ನ್ಯಾಂಡೋಸ್ ನ ಹೊಸ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಉದ್ಘಾಟನೆಯಾಯಿತು. 
 
                      February 15, 2024
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹೊಸ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಆರಂಭಿಸುವ ಮೂಲಕ ತನ್ನ ಅಸ್ತಿತ್ವ ವಿಸ್ತರಣೆ ಮಾಡಿದ...
                  
   जोधपुर के सूरसागर में भारी तनाव, प्रशासन द्वारा एक दर्जन लोग हिरासत में लिए गए। 
 
                      जोधपुर में देर रात एक निर्माण कार्य को लेकर दो समुदाय के लोग आपस में भिड़ गए और विवाद बढ़ा तो...
                  
   
  
  
  
  