કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા બુધવારે વસંતપંચમી નો ઉત્સવ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ નાં પાવન સાનિધ્યમાં ઉજવાયો જ્ઞાતિ ના ૭૦ વર્ષ થી વધુ ઉંમરના ભાઈ બહેનો અને દાતાઓ નું શાલ ઓઢાડીને પ્રસસ્તી પત્ર આપી મહારાજશ્રી નાં હસ્તે સનમાન કરાયુ વસંતપંચમી નાં મુખ્ય ૨૫ જેટલા મનોરથી ઓ એ પોતાનુ ન્યોછાવર અર્પણ કરેલ. પોતાની મધુર વાણીમાં મહારાજશ્રી દ્રારા વસંત પંચમી નું મહત્વ સમજાવ્યું. સાજે બેન્ડ બાજા સાથે કળશ શોભાયાત્રા નીકળી હતી જયા ગોવર્ધન નાથજી મંદીરે કળશ વધાવી વસંત પંચમી ના દર્શન નો લાભ વૈષ્ણવોએ લીધો હતો ત્યારબાદ સમૂહમાં લાડ જ્ઞાતી ની વાડી મા મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uddhav Thackeray यांचा फोन येताच Ayodhya Paul यांनी केली Eknath Shinde यांच्या नेत्यांची तक्रार
Uddhav Thackeray यांचा फोन येताच Ayodhya Paul यांनी केली Eknath Shinde यांच्या नेत्यांची तक्रार
प्रसुतीसाठी आलेल्या महीलांना परभणीला पाठवणे हा तर रुग्णांच्या जिविताशी खेळ;ग्रामिण रुग्णालयातील प्रकरणी जिल्हाशल्यचिकित्सकांकडे धाव घेणार -लींबाजी ढवळे
पाथरी ग्रामीण रुग्णालयात १० सप्टेंबर रोजी रेणापुर येथिल गरोदर महीलेला पोटात दुखत असल्याने आणले...
ಮಗುವಿನ ಜತೆಗಿನ ಫೋಟೋ ಟ್ವೀಟ್ ಮಾಡಿದ ನಟಿ ನಯನತಾರಾ
ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ನಟಿ ನಯನತಾರಾ ಅವರು ಕಳೆದೆರಡು ವರ್ಷದ ಹಿಂದೆ ವಿಘ್ನೇಶ್ ಶಿವನ್ ಅವರನ್ನು ವಿವಾಹವಾಗಿದ್ದರು....
৮০ বছৰীয়া শ্ৰী শ্ৰী আউনীআটী সত্ৰৰ বৰমজুমদাৰ, নৃত্য পতিয়সী খগেন্দ্ৰ নাথ লেখাৰু আজি হৈ পৰিছে আদৰ্শ
৮০ বছৰীয়া শ্ৰী শ্ৰী আউনীআটী সত্ৰৰ বৰমজুমদাৰ, নৃত্য পতিয়সী খগেন্দ্ৰ নাথ লেখাৰু আজি হৈ পৰিছে আদৰ্শ